હાડકાની નબળાઈ, કેન્સર,પેશાબની બળતરા જેવા રોગો ને આ ભાજી જીવો ત્યાં સુધી નહીં આવવા દે નજીક
આપણે જોયું કે શિયાળા માં મળતાં કેટલાક ખાદ્યપદાર્થો નું સેવન આખા વર્ષ ના સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે. તેથી શિયાળામાં ભાજી ખવાથી શરીર તંદુરસ્ત રહે છે. મેથી, પાલક, તાંદળજો, સુવા વગેરે તેમાંના મોટા ભાગની પસંદીદાર શાકભાજી છે. ચાલો, આ લીલી વેજિટેબલ્સ-લીલી ભાજીઓમાં શું વિવિધતા છે તે જોઈએ. લીલી ભાજીઓ વજનના વધારા કે ઘટાડા માટે બહુ જ ઉપયોગી મનાય છે. કેમ કે તે કેટલીક લો કેલરી ધરાવે છે.સરસવ ની ભાજી શિયાળા ની ખાસ પેદાશ , સરસવ ની ભાજી , પહેલાં માત્ર પંજાબ માં ખવાતી જે હવે આખા ભારત માં અને વિદેશ માં પણ ચાઉ થી ખવાય છે. અન્ય ભાજીઓ ની જેમ જ સરસવ ની ભાજી વિટામિન એ, સી અને કે તો ધરાવે જ પણ સાથોસાથ વિટામિન ઈ પણ ધરાવે જે હૃદય ના સ્વાસ્થ્ય માં ખૂબ જ ઉપયોગી થાઈ છે.
મેથીના દાણા ખૂબ જ પ્રાચીન મસાલો છે. જેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે થાય છે. એનાં પાંદડા સ્વાદમાં કડવાં હોય છે, પણ જ્યારે કોઈ પણ રેસીપીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસપણે સારો એવો ટેસ્ટ આવે છે. જો આ પાંદડાવાળા શાકભાજી ખાતાં હોવ તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂરપણ પડે છે, કેમકે આ પાંદડામાં ઘણા અન-હાઇજિનિક કંપાઉંડ છે જેને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર છે. તેથી શિયાળાની મોસમમાં તમારા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જરૂરી છે . તે ખૂબ જ લાભદાયક હોય છે.
ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે. મેથી ની ભાજી માં ફાયબર હોવાથી તે ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.પાલક શરીર ને તંદુરસ્ત રાખવા માટે ખુબજ મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો તે પણ અટકાવી શકાય છે. .
પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે. પાચન મજબૂત થતાં અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે. સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત બનાવી શકાય છે.સૂવાની ભાજી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન સી અને મેગ્નેશિયમ ધરાવે જે પાચનતંત્ર માટે અનિવાર્ય છે. આ ઉપરાંત તુરો સ્વાદ અને વિશિષ્ટ સુગંધ ધરાવતી આ ભાજી તેના એન્ટી ઓક્સિડન્ટ સ્વભાવ ને લીધે કેન્સર જેવા રોગ ના ઈલાજ માં ખૂબ મદદરૂપ બની શકે છે .
પાતરા ની ભાજી અંગ્રેજી માં જેને કોલોકેશિયા લિવ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. એવા સૌથી મોટા પાન ‘પાતરા’ ને આપણે ગુજરાતીઓ ફરસાણ માં સરસ મજાનો મસાલો કરી ખાતા હોઈએ છીએ. પાતરા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મણિપુર માં પણ વધારે પ્રમાણ માં ખાવામાં આવે છે.બથુઆ ની ભાજી મોટેભાગે રાજસ્થાન અને હિમાચલ માં વપરાતી જોવા મળે છે. આ ભાજી હવે ગુજરાતમાં પણ છૂટ થી જોવા મળે છે. બથુઆ ની ભાજી બીજી લીલી ભાજીમાં જોવા ન મળે તેવું એમિનો એસિડ ધરાવે છે જે ડોક્ટર ની સલાહ પ્રમાણે લિવર ના રોગો ની સારવારમાં કરવામાં મદદરૂપ છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર