પાણી કે દૂધ સાથે આ પાવડરના સેવનથી શ્વાસની તકલીફ, કફ તેમજ સાંધાના દુખાવામાં 1 દિવસમાં મળશે રાહત
જાયફળની એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરવા માં આવે છે. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. જાવંત્રી સ્વાદમાં મધુર અને તીખી, ગરમ, હલકી, રુચિકારક, ત્વચાનો વર્ણ સુધારનાર, કામોત્તેજક તથા કફ, ખાંસી, દમ ઊલટી, કૃમિ અને આંતરડાનાં જૂનાં દર્દોને મટાડનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ જાયફળ-જાવંત્રીમાં એક ઉડનશીલ તેલ, એક સ્થિર તેલ, પ્રોટીન, સ્ટાર્ચ, ખનિજદ્રવ્યો વગેરે રહેલાં છે. સ્થિર તેલમાં એક સુગંધિત દ્રવ્ય રહેલું હોય છે. જે જાયફળને તેની વિશિષ્ટ સુગંધ આપે છે. જો રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તો તેમને શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવા. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘી માં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.
જે લોકો મુખ-દુર્ગંધથી પીડાતા હોય છે. એમના માટે જાયફળ ઉત્તમ પરિણામ આપનાર છે. મુખમાંથી દુર્ગંધ આવ્યા કરતી હોય તેમના માટે શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, સુગંધી વાળાનું ચૂર્ણ ૫૦ ગ્રામ અને ચંદનનું ચૂર્ણ ૫૦ ગ્રામ લઈ બરાબર મિશ્ર કરી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ મધમાં મિશ્ર કરીને ચાટી જવું. સાથે રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ કે હરડે ચૂર્ણ લઈ પેટ સાફ રાખવું. એકાદ સપ્તાહ સુધી આ ઉપચાર કરવાથી ફાયદો થાય છે.
પાચન સંબંધી વિકારોમાં કારગર-ગેસ બનવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાવડર અને એક ચોથાઈ ચમચી આદુના પાવડરનુ મિશ્રણ બનાવો. ભોજન કરવાના થોડા સમય પહેલા તેનુ 1/8 ચમચી પાવડર હળવા ગરમ પાણી સાથે લો. 3-4 નાની ઈલાયચી, સૂંઠ પાવડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બ ચા પીવી લાભકારી છે.ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો. ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે.
જાયફળ હરસમાં રામબાણ સાબિત થાય છે.આ માટે નિયમિતપણે જાયફળનો ઉપયોગ કરવો જોઈએ.તેનો વપરાશ કરવા માટે, જાયફળને દેશી ઘીમાં ભેળી દો અને પછી ખાઓ.હવે તેને પીસી લો અને તેને લોટમાં ભેળી દો.મિશ્રણ તૈયાર કર્યા પછી ફરીથી તેને દેશી ઘી માં શેકો અને ખાંડ સાથે રોજ સવારે ખાલી પેટ એક ચમચી પીવો.આ મિશ્રણનો નિયમિત વપરાશ કરવાથી હરસના રોગથી છુટકારો મેળવશે.
જો સાંધા નો દુખાવો અથવા સંધિવાથી પીડાતા હોવ તો જાયફળનું તેલ નીકળી લો અને રોગગ્રસ્ત અંગો પર મસાજ કરો. આ ઉપરાંત, જાયફળનો ઉકાળો બનાવી અને તેમાં લવિંગ ભેળવીને પીવાથી આ સમસ્યાને મૂળ માંથી દૂર કરે છે. માથાનો દુખાવો ટાળવા માટે જો જાયફળ દૂધમાં ઉમેરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે છે, તો તરત જ માથાના દુખાવામાં રાહત મળશે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર