શ્વાસ-કફ, પથરી અને નપુસંકતાને કરી દેશે ગાયબ, આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી કઠોળ
દ્વિદલ ધાન્યમાં કળથી સૌથી હલકી માનવામાં આવે છે. કળથી ગરીબ વર્ગની કસ્તુરી ધાન્ય ગણાય છે. તેના છોડ લગભગ દોઢ-બે ફૂટ જેટલી ઊંચાઈના થાય છે અને જમીન ઉપર પથરાય છે. તેના છોડનો દેખાવ અડદના છોડ જેવો હોય છે અને તેના પાન પણ કંઈક અંશે અડદના પાનને મળતાં આવે છે.
કળથીની શીંગો બે ઇંચ લાંબી, કંઈક વાંકી, ચપટી અને રુવાંટીવાળી હોય છે. શીંગોમાં પીળાશ પડતા કે ભૂરા રંગના ચારથી છ દાણા હોય છે. ક્યારેક કાળા કે સફેદ રંગના દાણા પણ જોવા મળે છે. તેના દાણા અળસીના દાણા જેવા જ લાગે છે. રાજસ્થાનમાં કળથી અષાઢ માસમાં થાય છે.
કળથી ત્રણ જાતની થાય છે : રાતી, ધોળી અને કાળી. ત્રણે જાતમાં કાળી જાત ને શ્રેષ્ઠ ગણાય છે. કાળી જાત ઓરિસ્સા અને કર્ણાટક માં વધુ જોવા મળે છે. તેની દાળ બીજી દાળો કરતાં કંઈક અંશે સારી હોય છે. તેથી ગામડાના ગરીબ લોકોમાં તેનો પ્રચાર વિશેષ જોવા મળે છે.રાજસ્થાનમાં બીજી દાળો કરતાં કળથીની દાળ નું વિશેષ મહત્વ હોય છે. કેટલાક લોકો તેના દાણાને બાફીને શાક બનાવીને પણ ખાય છે જે ઘણું સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે. કળથીનો ઉપયોગ ભોજન, ધાતુ-ઉપધાતુઓ શોધન અને ઔષધ રૂપે પણ થાય છે.
કળથીના દાણાને બાફીને શાક બનાવીને ખાવાથી ઉદરરોગ મટે છે. કળથીની દાળ ખાવાથી સૂકા મસાની પીડા શાંત થાય છે. કળથીનો ઉકાળો કરી તેમાં સરપંખાનું ચૂર્ણ અને સિંધવ મેળવીને પીવાથી પથરી મટે છે.કળથી અને મરીનો ઉકાળો કરીને પીવાથી કંઠમાળ મટે છે. કળથી માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લોહ, ફોસ્ફરસ અને વિટામિન એ’ તથા બી ’ હોય છે. કળથી શ્વાસ, ઉધરસ, કફ, વાયુ, હેડકી, પથરી, વીર્યદોષ, આંખના રોગ, સળેખમ, મેદ, તાવ તથા કૃમિને મટાડનારી છે.
આયુર્વેદ સ્વેદાધિકય વાળા દરદીઓને શેકેલી કળથીનો લોટ શરીરે ચોળવાનું કહે છે. હૃદયની ગતિ અનિયમિત હોય કે કોઈ વાર હૃદયરોગીનું હૃદય પહોળું થઈ જાય ત્યારે કળથીની રાબનું સેવન લાભકારી મનાય છે.કળથી, પાષાણભેદ અને ગોખરુનો કવાથ કરીને પીવાથી પથરી મટે છે. ચાલીસથી પચાસ ગ્રામ કાળી કળથી રાત્રે સોળ ગણા પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, આ પાણી બે-ચાર મહિના પીવાથી પથરી ચોક્કસ મટે છે. કળથીનો ખાસ ગુણ મૂત્રલ, સ્વેદહેર અને પથરી દૂર કરવાનો છે. કળથીનો ઉકાળો કરીને પીવાથી વાયુનો વિકાર મટે છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર