અનાનસ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વિશે જાણો અને શેર કરો

અનનાસ : પાકું અનનાસ મુત્રલ , કૃમીનાશક અને પીત્તશામક છે . તે ગરમીના વિકારો , પેટના રોગો , બરોળવૃદ્ધી , કમળો , પાંડુરોગ વગેરે મટાડે છે . સગર્ભાને તથા ભુખ્યા પેટે અનનાસ નુકશાનકારક છે . ( ૧ ) પાકા અનાનસના રસમાં બમણી સાકર ઉમેરી જરૂરી પાણી નાખી શરબત બનાવી પીવાથી હૃદયને બળ મળે છે તથા ગરમી , બળતરા શાંત થાય છે .

( ૨ ) અનનાસ મધુર ખાટુ અને પાચક છે . ભારે આહાર ખાધા પછી અનનાસનો રસ પીવાથી આહાર સરળતાથી પચી જાય છે . ( ૩ ) એમાં વીટામીન સી સારા પ્રમાણમાં છે . આથી એ સ્કર્વી નામના રોગમાં તથા પાયોરીયામાં સારું છે . ( ૪ ) રોજ અનનાસનો રસ પીવાથી દાંત સારા રહે અનનાસમાં સાકર અને પ્રોટીન છે , તથા પ્રોટીનને પચાવવામાં એ ઉત્તમ છે .અભયાદી ક્વાથ હરડેના સેવનથી કોઈ પણ પ્રકારના નુકશાન કે આડઅસરનો ભય હોતો નથી આથી એને અભયા પણ કહે છે .

હરડે સાથે નાગરમોથ , ધાણાં , રતાંધળી , પર્મકાઇ , અરડુસો , ઈન્દ્રજવ , વાળો , ગળો , ગરમાળાનો ગોળ , કાળીપાટ , સુંઠ અને કડુ સમાન વજને લઈ ભેગાં ખાંડી અધકચરો ભૂકો કરવો . બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી થોડું પીપરનું ચુર્ણ મેળવી સવાર – સાંજ તાજો બનાવી પીવાથી દાહ બળતરા , ઉધરસ , દમ , આળસ , સુસ્તી , ત્રીદોષજ તાવ વગેરે તકલીફો મટે છે . એ ભુખ લગાડનાર , ખોરાકનું પાચન કરાવનાર તથા મળમુત્ર સારું લાવનાર ઉત્તમ ઔષધ છે .

અભયારીષ્ટ અભયા એટલે હરડે સાથે બીજાં કેટલાંક બધો મેળવી એક પ્રવાહી ઔષધ બનાવવામાં આવે છે , જેને અભયારીષ્ટ કહે છે અને બજારમાં તૈયાર મળે છે . ચારથી પાંચ ચમચી અભયારીષ્ટમાં એટલું જ પાણી મેળવી જમતાં પહેલાં કે જમ્યા પછી પીવાથી કબજીયાત , વાયુનો આફરો , પેટના રોગો , ઉબકા , મોળ અને અગ્નીમાંદ્ય મટે છે . હરસનું એ અકસીર ઔષધ ગણાય છે . નીષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય .

અમૃતપ્રભા ચૂર્ણ આમળાં , અક્કલકરો , સીંધવ , ચીત્રક , મરી , અજમો , લીંડીપીપર અને હરડે દરેક દસ – દસ ગ્રામ અને સુંઠ વીસ ગ્રામનું ચુર્ણ બનાવી એ ચુર્ણ પલળે એટલો બીજોરાનો રસ તેમાં મેળવવો . પછી ચુર્ણ સુકાઈ જાય ત્યાં સુધી એને ખુબ જ લસોટવું . એને અક્કલકરાદી ચુર્ણ પણ કહે છે . આ ચુર્ણ અડધીથી એક ચમચી દરરોજ સવાર – સાંજ લેવાથી મંદાગ્ની , અરુચી , ઉધરસ , ગળાના રોગ , દમ – શ્વાસ , શરદી – સળેખમ , ફેફરું . સન્નીપાત , વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે .

અમૃતરસ ગળોનું વસ્ત્રગાળ ચૂર્ણ ૫00 ગ્રામ , ગોળ ૮૦ ગ્રામ અને ઘી ૧૦૦ ગ્રામના મીશ્રણને અમૃતરસ કહે છે . પુખ્તવયના માણસોને એક ચમચી અને બાળકોને અડધી ચમચી આ ઔષધી સવાર – સાંજ આપવાથી તેમ જ પશ્ય અને પરીમીત આહાર લેવાથી વાળની ધોળાશ , વૃદ્ધાવસ્થા , જ્વર , વીષમજવર , પ્રમેહ , વાતરક્ત અને નેત્રરોગ થતા અટકે છે . આ રસાયન પ્રયોગ કરનારને કોઈ રોગ જલદી થતો નથી . જે ઔષધ તંદુરસ્તી જાળવી રાખે , જલદી ઘડપણ આવવા ન દે , વાળ સફેદ થતા અટકાવે અને દીર્ધ જીવન આપે તેને રસાયન ઔષધ કહેવાય છે .

રસાયન ઔષધ ત્રીદોષનાશક હોવાથી તે વાયુ , પીત્ત અને કફના રોગોમાં પણ આપવામાં આવે છે , જે સહાયક ઔષધ બને છે . અમૃતારીષ્ટ ગળો , દશમુળ , જીરુ , ગોળ , પીત્તપાપડો , સપ્તપર્ણ , સુંઠ , મરી , પીપર , મોથ , નાગકેસર , અતીસ અને કડાછાલના મીશ્રણથી બનાવેલું દ્રવ ઔષધ તે અમૃતારીષ્ટ . સારી ફાર્મસીનું આ દ્રવ ઔષધ વયસ્કો ત્રણથી ચાર ચમચી અને બાળકો અડધીથી એક ચમચી ( બાળક મોટું હોય તો દોઢ ચમચી ) સવાર – સાંજ સેવન કરે તો અચી , અપચો , મંદાગ્ની , યકૃત ( લીવર ) ના રોગો , જીર્ણજ્વર , આંતરીક મંદ જ્વર , પેટના રોગો , અશક્તી , લોહીના રોગો અને ચામડીના રોગોમાં સારો ફાયદો થાય છે . એનાથી મળ સાફ ઉતરી કબજીયાત પણ મટે છે .

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *