દ્રાક્ષ અને દ્રાક્ષના બીજ ખાવાના અનેક ગુણકારી ફાયદા
દ્રાક્ષ : દ્રાક્ષ તરસ , બળતરા , તાવ , દમ , રક્તપિત્ત , છાતીમાં ત્રણ – ચાંદું , ક્ષય , વાયુ , પિત્તના રોગ , મોં કડવું થવું , મોં સુકાવું , ઉધરસ વગેરે મટાડે છે . એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તિ વધારે છે . એ શીતળ અને સ્નિગ્ધ છે . લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્ત્વો વધુ હોય છે .
દ્રાક્ષમાં વિટામીન A , B , C અને થોડા પ્રમાણમાં લોહ હોય છે . એમાં રહેલું કેઝવેટિલ નામનું તત્ત્વ ‘ Free Padi cel’s નો નાશ કરે છે . દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી . ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે . રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરિભ્રમણ વધે છે , રીઝવેટિલને કારણે અકાળે આવતું . વૃદ્ધત્વ અટકી જાય છે .
લોહીની નળીઓ તૂટતી નથી . રોગ પ્રતિકારક શક્તિ વધે છે . એલર્જીમાં રાહત મળે છે . એમાં રહેલું પોટેશિયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે . લોહી શુદ્ધ થાય છે , ઝાડા મટે છે , શરીરમાં બળ , તાજગી વધે છે . કબજિયાત અને હરસમાં ફાયદો થાય છે . દરરોજ એક ચમચી દ્રાક્ષના બીનો પાઉડર લેવાથી સોજા , ઘા , ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે .
દ્રાક્ષ બીજ અર્કનો ઉપયોગ કરવા માટેની કેટલીક ટીપ્સ :
1. પ્રોપ્રાઈલેક્ટિક અર્ક 40-50 ગ્રામ માટે દિવસમાં એકવાર લેવો જોઈએ.
2. ઓન્કોલોજી દર્દીઓને દરરોજ 150 મિલિગ્રામ દ્રાક્ષના બીજનો ઉપયોગ કરવાની જરૂર છે.
3. કોઈપણ કિસ્સામાં, દવા દરરોજ 500 મિલિગ્રામથી વધુ ન હોવી જોઈએ.
4. એર્કટ્રેક્ટ અને બ્લડ પાઈનર્સના એક સાથે વહીવટથી દૂર રહેવું જરૂરી છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.