પેટ મા દુખાવો થતો હોય તો દવા ખાવા ના બદલે આ દેશી ઉપચાર કરો ! ચોક્કસ ફેર પડશે
પેટના દુઃખાવાના ઉપચારો : ૨-૩ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો , અજીર્ણ અને વાયુ મટે છે . ૧-૧ ચમચી આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે . ૧-૧ ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું .
૩ ચમચી ફુદીનાના રસમાં ૧ ચમચી મધ મેળવીને લેવાથી પેટના દર્દી મટે છે . લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે . શેકેલા જાયફળનું ૧ ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું . જમ્યા પછી કેટલાકને ૨ થી ૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાયા છે . તે માટે ૫ ગ્રામ સૂંઠ , તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર – સાંજ લેવાથી ફાયદો થાય છે .
ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી અથવા તો પેટ ઉપર લગાવવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે . સાકર અને ધાણાનું ૧ ચમચી ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે . જીરું અને ધાણા બન્ને સરખે ભાગે ૧-૧ ચમચી લઈ , રાત્રે પલાળી રાખી , સવારમાં ખૂબ મસળી , તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે .
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર